તલગાજરડાથી મોરારી બાપુએ ચંદ્રયાન -૩ની સફળતાની ભવ્ય ઉજવણી કરી

Advertisement

મહુવા: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની (Vikram Lander) ખૂબ જ અપેક્ષિતક્ષણ બુધવારે સાંજે સામે આવી, જેના પર જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ (Morari Bapu) ખુશી જાહેર કરી હતી એટલું જ નહિ ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી.

મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવમાં ભાગ લઈ રહેલા મોરારી બાપુએ જણાવ્યું હતું કે “અમારી તુલસી જયંતિની સમોરોહની વચ્ચે અમે એક મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બન્યા કારણ કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર હળવેથી નીચે ઉતર્યું અને અમારા હૃદયને ગર્વથી ભરી દીધું. બરાબર 400 વર્ષ પહેલાં પૃથ્વીએ તુલસીદાસજીના રૂપમાં ચંદ્રનો જન્મ જોયો હતો અને આજે તુલસી જયંતિના અવસરે ચંદ્રયાને ચંદ્રને ભેટી લીધો છે.

Morari Bapu celebrated the success of Chandrayaan-3 from Talgajarda

મોરારી બાપુએ એમ પણ કહ્યું હતું કે,  તેમને મિશનની સફળતા અંગે વિશ્વાસ હતો કારણ કે સાધુ અને સંતો સહિત સમગ્ર દેશ તેના માટે પ્રાર્થના કરી રહ્યો હતો.

ચંદ્રયાન-૩ મિશનની સફળતા માટે ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરતાં તેમણે કહ્યું, “હું ઈસરોના વૈજ્ઞાનિકો, ૧૪૦ કરોડ ભારતીયોને અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મારા ખૂબ જ નિષ્ઠાપૂર્વક અભિનંદન આપું છું, જેમના નેતૃત્વમાં અમે આ ઐતિહાસિક માઇલ સ્ટોન હાંસલ કર્યો છે.”

જ્યારે મોરારીબાપુએ સમારોહમાં દર્શકોનું નેતૃત્વ કર્યું ત્યારે જય સિયા રામ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિંદ અને જય ભારતના નારાઓ  ગુંજી ઉઠ્યા હતા.

આ પહેલા જાણીતા આધ્યાત્મિક ગુરુએ વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્રયાન-૩ મિશનની સફળતાપૂર્વક સમાપન માટે પ્રાર્થના કરી હતી.

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સફળ લેન્ડિંગ અવકાશ સંશોધનમાં ભારત માટે એક માઇલસ્ટોન છે.  ચંદ્ર દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ છે.  મિશનની સફળતાનો અર્થ એ છે કે ભારત એવા દેશોના  વિશિષ્ટ ક્લબમાં જોડાય છે કે જેઓ ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરવામાં સફળ થયા છે. ક્લબના અન્ય સભ્યોમાં યુએસ, સોવિયેત યુનિયન અને ચીન છે.

Advertisement