Featured
Jitendra Vaswani
From Affiliate Marketing to AI SEO: Jitendra Vaswani’s Inside A Hustler’s Brain Explores the New Rules of Digital Growth
Hafele
Hafele Kabi-Flow Redefines Access and Security for Modern Furniture
CineNow
CineNow Unveils Leadership and Governance Structure for US$150 Million Film Investment Vehicle Invites Collaboration from the Indian Film Fraternity
August 26, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Search the Site
Popular Searches:
Chatgpt Nasa Halloween
Recent Posts
Hazoor Multi Projects Bags Rs. 193.85 Crore NHAI Contract for Toll Fee Collection in Tamil Nadu-TBT
Hazoor Multi Projects Bags Rs. 193.85 Crore NHAI Contract for Toll Fee Collection in Tamil Nadu
August 26, 2026
Ratul Puri on the Changing Landscape of India’s Energy Future-TBT
Ratul Puri on the Changing Landscape of India’s Energy Future
August 26, 2026
Adani Foundation AVPN Global Conference 2026, the blunt times
Adani Foundation Hosts AVPN Welcome Dinner in Delhi
August 26, 2026
The Blunt Times The Blunt Times
  • National
  • City Events
  • Business Vibes
  • Education
  • Entertainment
  • Regional
    • Bharuch
    • Dang
    • Navsari
    • Surat
    • Valsad
    • Hindi
    • Gujarati
  • Health
  • Crime corner
  • Sports
  • Spotlight
Follow us
A Historic 12-Jyotirlinga Ram Katha Yatra with Morari Bapu Ends at Talgajarda, Gujarat
Home/Regional/પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન
Regional

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

તલગાજરડા : પૂજ્ય મોરારીબાપુ (Pujya Morari Bapu) દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ (12 Jyotirling Ram Katha Yatra) ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના...

Melvyn Thomas
August 8, 2023 3 Min Read

તલગાજરડા : પૂજ્ય મોરારીબાપુ (Pujya Morari Bapu) દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ (12 Jyotirling Ram Katha Yatra) ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં આવ્યું હતું. કેદારનાથના પવિત્ર પર્વતોથી શરૂ કરીને સોમનાથના દરીયા કિનારા સુધી 12,000 કિ.મી. લાંબી યાત્રા 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓને આધ્યાત્મિકતા અને આત્માની શોધની યાત્રાની અનુભૂતિ કરાવવામાં આવી હતી. પૂજ્ય બાપુએ સનાતન ઘર્મના શૈવ અને વૈષ્ણવ સહિતના વિવિધ સમૂહો અને સમુદાયો વચ્ચે સંવાદિતા અને સહ-અસ્તિત્વના બીજ રોપવા માટે 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાના ઉપદેશો ફેલાવવાની આ પહેલ હાથ ધરી હતી.

1008 શ્રદ્ધાળુઓએ રામ કથા સાંભળતા ઉત્તરાખંડ રાજ્યના કેદારનાથ; વિશ્વનાથ, કાશી; બૈદ્યનાથ, ઝારખંડ; મલ્લિકાર્જુન, આંધ્રપ્રદેશ; રામેશ્વરમ્, તમિલનાડુ; નાગેશ્વર, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર અને ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર; ઓમકારેશ્વર અને ઉજ્જૈન, મધ્ય પ્રદેશ અને છેલ્લે સોમનાથના જ્યોતિર્લિંગના દર્શન કરીને સફળતાપૂર્વક આ યાત્રા પૂર્ણ કરી હતી. શ્રદ્વાળુઓએ ઋષિકેશ, જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ ધામના પવિત્ર ધામોના દર્શનનો પણ અનુભવ કર્યો હતો.

યાત્રાના ઉદ્દેશ્ય વિશે વાત કરતા બાપુએ જણાવ્યું હતું કે આ યાત્રા “નિર્હેતુ” હતી અર્થાત કોઈ ગુપ્ત હેતુ વગરની હતી, પરંતુ તે જ્યોતિર્લિંગ, ધામો અને અન્ય તમામ હિન્દુ ધર્મસ્થાનો સહિત સનાતન ધર્મની ધર્મનિષ્ઠા અને ભક્તિના કેન્દ્રોને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે મદદ કરશે. બાપુએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે તમામ મંદિરો પહેલેથી જ શુદ્ધ છે, ત્યારે તેમને સ્વચ્છ રાખવાની અને વધુ સારી રીતે સુયોજિત કરવાની જરૂર છે જેથી મોટા ભાગના સામાન્ય માણસો પણ સરળતાથી ત્યાં પહોંચી શકે અને દર્શન મેળવી શકે કે જેથી આંતરિક શાંતિની શોધ કરી શકાય અને દિવ્યતા સાથે જોડાણ મેળવી શકાય.

બાપુએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા અને કાશી તથા ઉજ્જૈનમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસોને અન્ય મુખ્ય યાત્રાધામોના નવીનીકરણ માટેના ઉદાહરણ તરીકે ગણવા જોઈએ. બાપુએ આ કથાના માધ્યમથી “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિચારની પણ ઉજવણી કરી હતી અને અમૃત કાલની ચાલી રહેલી ઉજવણીઓ વચ્ચે આપણા ભારત દ્વારા સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવામાં આવે છે તેના તરફ ધ્યાન દોર્યું હતું.

ઘણા સંતો માને છે કે આત્મસાક્ષાત્કાર એ માનવજીવનનું અંતિમ ધ્યેય છે, ત્યારે બાપુને લાગે છે કે સાધુએ છેવાડાના માનવી સુધી પહોંચીને પોતાનો અંદરનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યોતિર્લિંગ રામ કથા ઘણી બધી રીતે દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ ચાર ખૂણામાં લોકો સાથે જોડાવાનો અને તેમના સુધી આધ્યાત્મિક ઉમંગ લાવવાનો એક પ્રયાસ હતો. કથાના અંતિમ દિવસે બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય સુમેળ લાવવાની એક પહેલ હતી.

દેશભરમાં ભક્તોમાં સનાતન ધર્મના ઉપદેશો અને તર્કને ફેલાવવાના હેતુ સાથને રામ કથા યાત્રા શાંતિ અને સંવાદિતાના બીજ રોપવા પર કેન્દ્રિત હતી અને આપણા ભારતવર્ષના તત્વમાં સમાવિષ્ટ સમૃદ્ધ ઇતિહાસ અને પ્રાચીન જ્ઞાનની ઉજવણીમાં દેશભરના સમુદાયોને એક કર્યા હતા.

સનાતન ધર્મને નવજીવન આપીને અને રામચરિતમાનસના ઉપદેશોને આધુનિક સમાજ સાથે પ્રસ્તુત કરવાના પ્રયાસરૂપે બાપુએ સ્વચ્છતા, સમાનતા, સંવાદિતા, એકતા અને શાંતિ સાથે સહ-અસ્તિત્વના મૂલ્યોને જાળવી રાખતા આદર્શ સમાજના નિર્માણના મહત્વ વિશે વાત કરી હતી. આપણા ધર્મગ્રંથોનું પ્રાચીન જ્ઞાન દેશભરના ભક્તો સુધી પહોંચાડવા, તેમનામાં આપણા દેશની સંસ્કૃતિ, ધર્મ અને વિવિધતા માટે ગૌરવનું સિંચન થાય તે માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમર્પણ સાથે શ્રદ્ધાળુઓએ માત્ર 18 દિવસમાં જ 12,000 કિ.મી.નો પ્રવાસ ખેડ્યો હતો અને આધ્યાત્મિકતાની ટ્રેનમાં સવાર થઈને સ્તોત્રો, મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓથી વાતાવરણને પવિત્રમય કરી દીધું હતું.

12 જ્યોતિર્લિંગ રામ કથાનું સફળ સમાપન થવાથી મોરારી બાપુનો વારસો સમૃદ્ધ થયો છે. યાત્રાના અંતે બાપુએ જાહેરાત કરી હતી કે આ તેમનું 900મું ધાર્મિક પ્રવચન હતું અને વર્તમાન યાત્રામાં માત્ર વિરામ લીધો છે જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થોડા દિવસોમાં ફરી શરૂ થશે. બાપુએ પૃથ્વીની પરિક્રમા કરતી વખતે હવામાં, વહાણમાં, કૈલાસ પર, ભૂસુંદી સરોવર વગેરે સ્થળોએ રામકથાનું આયોજન કરવા જેવા અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે.

આ 12 જ્યોતિર્લિંગ રામ કથા રેલ યાત્રાને આઈઆરસીટીસીના સહયોગથી બે વિશેષ ટ્રેનો – કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનો દ્વારા સુવિધા આપવામાં આવી હતી. આ કથાનું આયોજન બાપુના ફૂલ (ભક્ત) રૂપેશ વ્યાસ દ્વારા ઈન્દોરથી આદેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Tags:

12 Jyotirling Ram Katha Yatra12 જ્યોતિર્લિંગMorari BapuPujya Morari Bapuપૂજ્ય મોરારી બાપુ

Share Article

A Historic 12-Jyotirlinga Ram Katha Yatra with Morari Bapu Ends at Talgajarda, Gujarat
Previous Post

A Historic journey of 12-Jyotirlinga Ram Katha Yatra with Morari Bapu Ends at Talgajarda, Gujarat

HDFC Bank Parivartan Mumbai Marathon 2026, the blunt times
Next Post

HDFC Bank Launches ‘Purani Gaadi, Nayi Shuruaat’ Initiative

Picked
IMS Ghaziabad
IMS Ghaziabad (University Courses Campus) Concludes 10-Day International FDP on Global Pedagogical Excellence and Research Leadership
Jitendra Vaswani
From Affiliate Marketing to AI SEO: Jitendra Vaswani’s Inside A Hustler’s Brain Explores the New Rules of Digital Growth
Hafele
Hafele Kabi-Flow Redefines Access and Security for Modern Furniture
CineNow
CineNow Unveils Leadership and Governance Structure for US$150 Million Film Investment Vehicle Invites Collaboration from the Indian Film Fraternity
Zivame
Is Zivame Rebranding? The Brand’s EXTRAAA ‘A’s Spark Curiosity
MANTRA Surat textile testing Telangana, the blunt times
Surat : MANTRA Gets Telangana’s Trust for Saree Quality Testing
Popular Posts
Zivame
Is Zivame Rebranding? The Brand’s EXTRAAA ‘A’s Spark Curiosity
By TBT Online Desk
MANTRA Surat textile testing Telangana, the blunt times
Surat : MANTRA Gets Telangana’s Trust for Saree Quality Testing
By Times News Network
From First-Timer to World Finalist: How Kirsten Varela Made Calisthenics History for India
From First-Timer to World Finalist: How Kirsten Varela Made Calisthenics History for India
By TBT Online Desk
Gujarat rainfall deficit, the blunt times
Gujarat Monsoon Crisis: 17 Districts Face Rainfall Deficit
By Times News Network
From Solar Waste to Resource Security: Regain Energies’ Role in Building India’s Solar PV Recycling Ecosystem-TBT
From Solar Waste to Resource Security: Regain Energies’ Role in Building India’s Solar PV Recycling Ecosystem
By TBT Online Desk
India’s Biggest Film Industry Expo to Be Held in New Delhi from August 26
India’s Biggest Film Industry Expo to Be Held in New Delhi from August 26
By TBT Online Desk

Read Next

Morari Bapu
Lifestyle
Morari Bapu’s Nine-Day Ram Katha at Harvard Concludes with Call to Preserve Indian Scriptures
August 25, 2026
3 Min Read
Morari Bapu
Lifestyle
Morari Bapu Begins His 981st Ram Katha in Kenya’s Tea Country
July 24, 2026
5 Min Read
Sondalakhara Milk Cooperative Gujarat High Court stay, the blunt times
Regional
Gujarat HC Restores Recognition of Two Bapunagar Schools, Sets Aside 2015 Order
April 27, 2026
2 Min Read
Regional
Customs Seize 61 Luxury Designer Pens Worth ₹30 Lakh from Japan Passenger at Ahmedabad Airport
April 27, 2026
1 Min Read
The Blunt Times

The Blunt Times is a 24-hour news portal from Surat and south Gujarat. It was launched by senior journalist Melvyn Thomas, who has over 21 years of experience working with the top news organizations such as The Indian Express, The Times of India, and The Economic Times.

Popular
IMS Ghaziabad (University Courses Campus) Concludes 10-Day International FDP on Global Pedagogical Excellence and Research Leadership
August 26, 2026
From Affiliate Marketing to AI SEO: Jitendra Vaswani’s Inside A Hustler’s Brain Explores the New Rules of Digital Growth
August 26, 2026
Hafele Kabi-Flow Redefines Access and Security for Modern Furniture
August 26, 2026
CineNow Unveils Leadership and Governance Structure for US$150 Million Film Investment Vehicle Invites Collaboration from the Indian Film Fraternity
August 26, 2026
Categories
City Events
National
Business Vibes
Lifestyle
Business
Education
Spotlight
Regional
Entertainment
Health
Press Release
Sports

© 2026 All Rights Reserved, The Blunt Times

  • Terms of Service
  • Privacy Policy